Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬ઠ્ઠી એપ્રિલે ભાજપનો સ્થાપના દિન ઉજવાશે
જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે વરાયેલા ડો. વિનોદભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં અટલ ભવનમાં જિલ્લા સંગઠન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ મંડલ નવનિયુકત, પ્રમુખો, પૂર્વ પ્રમુખો, મોરચાના પદાધિકારીઓ, જિલ્લાના હોદેદારો, ચૂંટાયેલા સદસ્યો, જિલ્લા મીડિયા, આઈ.ટી, સોશ્યલ મીડિયાની ટીમના સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં રામનવમીના દિવસે તા. ૬ એપ્રિલે જ ભાજપનો સ્થાપના દિવસ હોય જિલ્લા આધારિત ડો. ભંડેરીએ ઘરે-ઘરે પક્ષના ઝંડા લગાડવા, રામમંદિરેથી યાત્રામાં ધૂન- કિર્તન કરવા, સભ્યોના સંમેલન યોજવા, ગાંવ ચલો અભિયાન, તેમજ ડો. આંબેડકર જયંતીના દિને કાર્યક્રમો યોજવા જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.
સ્થાપના દિનની ઉજવણીના ભાગરૃપે તા. ૭ના સાંજે ૫-૩૦ કલાકે ખીજડીયા બાયપાસ રોયલ રીસોર્ટમાં ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન, ૮૦ જામજોધપુર વિધાનસભાનું સંમેલન ૮ એપ્રિલના સાંજે ૫-૦૦ કલાકે પંડિત દિનદયાલ ભવન, જામજોધપુરમાં તેમજ ૭૬ કાલાવડ વિધાનસભામાં બે સંમેલનોમાં ધ્રોલમાં તા. ૯ એપ્રિલના સવારે ૧૦-૦૦ કલાકે માર્કેટ યાર્ડ ધ્રોલમાં તેમજ કાલાવડમાં તે જ દિવસે સાંજે ૪-૦૦ કલાકે શ્રીજી ફાર્મ, કાલાવડમાં યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમના આયોજન માટે મંડલવાઈઝ બેઠકોનું આયોજન કરવા નકકી કરવામાં આવેલ તે ઉપરાંત સ્થાપના દિનની વિવિધ કાર્યક્રમો માટે જિલ્લા સંયોજક તરીકે અભિષેક પટવા તથા સહસંયોજક તરીકે કુમારપાલસિંહ રાણા તથા ભવાનભાઈ ચૌહાણની નિયુકિત કરવામાં આવી હતી.
તા. ૭, ૮, ૯ ના સંમેલન માટે જિલ્લા ઈન્ચાર્જ તરીકે દિલીપભાઈ ભોજાણી, ૭૬-કાલાવડ વિધાનસભા ઈન્ચાર્જ તરીકે હસુભાઈ વોરા તથા નવલભાઈ મુંગરા, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા માટે દિલીપસિંહ ચુડાસમા તથા મુકુંદભાઈ સભાયા તથા ૮૦- જામજોધપુર વિધાનસભા માટે કૌશીકભાઈ રાબડીયા તથા અરશીભાઈ કરંગીયાને જવાબદારી સોંપવામાં આવી હતી.
તા. ૧૩ તથા ૧૪ એપ્રિલના ડો. બાબાસાહેબ જન્મજયંતી કાર્યક્રમ માટે જિલ્લા ઈન્ચાર્જ તરીકે નાથાભાઈ વારસાકીયા તથા સહસંયોજક તરીકે હિરજીભાઈ ચાવડા, ભૂમિતભાઈ ડોબરીયાને નિયુકિત કરાઈ હતી.
આ બેઠકમાં વરિષ્ઠ આગેવાનો દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, દિલીપસિંહ ચુડાસમા, યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા સહિત મંડલના પ્રમુખો, તત્કાલીન પ્રમુખ મહામંત્રીઓ સહિત અપેક્ષીત શ્રેણીના આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ જિલ્લા મીડિયા સેલ કન્વીનર નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial