Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ બંદોબસ્ત સાથે
જામનગર સિંચાઈ વિભાગ દ્વારા આગોતરી સૂચના મુજબ આજથી જામનગર તાલુકાના ઊંડ-૧ ડેમમાંથી ૭૦ એમસીએફટી પાણીનો જથ્થો છોડવાનું શરૃ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં પાણી છોડતી વખતે અસરગ્રસ્ત ગામોના ખાતેદારો દ્વારા વિરોધ થયો હતો. તે બાબતને ધ્યાને લઈ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઊંડ-૧ ડેમમાંથી પાણી છોડવાનું શરૃ કરવામાં આવ્યું છે. ઊંડ-૧ ડેમના હેઠવાસના ચેક ડેમો ભરવા માટે પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર તાલુકાના છ અને ધ્રોળ તાલુકાના આઠ તેમજ જોડિયા તાલુકાના એક ગમ આ ડેમના હેઠવાસમાં આવે છે. આ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની તાકીદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial