Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની શગુન ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના જીએનએમ, એએનએમ, બીએસસી નર્સિંગ તેમજ પીબીબી. એસસી(એન) ના તાલીમાર્થીઓની શપથવિધિનો સમારોહ પ નવનતપુરીધામના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પ્રસંગે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), ડો. વી.એમ. શાહ, વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર, આયુષ હોસ્પિટલના સીઈઓ દેવન્દ્રસિંહ ઝાલા, કુ. ટ્વીન્કલ ગોહેલ (ગુજરાત રાજ્યના ટ્રેઈન્ડ નર્સિસ એસો.ના વાઈસ પ્રેસિડેન્ટ), સંસ્થાના ડાયરેક્ટર જગદીશ જાડફવા, ડો. મનિષ ભટ્ટ, ડો. વિકલ્પ શાહ, અશોકભાઈ નંદા, ડો. જોગીનભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતાં. આચાર્ય કૃષ્ણમણિજીએ આશીર્વચન પાઠવ્યા હતાં. વર્ષ ર૦ર૪-રપ માં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ હતી. યુનિવર્સિટી તથા કાઉન્સિલ દ્વારા લેવાયેલી પરીક્ષામાં કોલેજમાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતાં. શગુન ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સંચાલન દિનેશભાઈ માવલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હિતેષભાઈ, રીપલ પ્રજાપતિ તથા તેમની ટીમે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial