Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ જામનગરમાં તા. ૧૪-૪-ર૦રપ થી ૧૭-૪-ર૦રપ દરમિયાન પ્રતિદિન બપોરે ૩.૩૦ થી સાંજે ૬.૩૦ દરમિયાન લેઉવા પટેલ સમાજ (એસી હોલ) રણજીતનગર, જામનગરમાં "વિવેકધૈર્યાશ્રય" વચનામૃત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
વલ્લભકુલભૂષણ વૈષ્ણવા-ચાર્ય પૂ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજ (પોરબંદર-મથુરા) ના શ્રીમુખેથી વિવેકધૈર્યાશ્રય ગ્રંથનો ભક્તિસાર વહેશે.
વચનામૃત શિબિરના મુખ્ય મનોરથી જગદીશભાઈ બળેજા છે. સંયોજક તરીકે બાબુભાઈ અજુડીયા, ગંગદાસભાઈ ગજેરા, ગોવિંદભાઈ ધામેલીયા, વિશાલભાઈ રાડીયા તથા કિશનભાઈ કમાણી સેવારત છે.
મહાપ્રભુજી વલ્લભાચાર્યજી રચિત ષોડશ ગ્રંથો પૈકીના આઠમા ગ્રંથ વિવેક-ધૈર્યાશ્રયયના વચનામૃતનો લાભ લેવા વૈષ્ણવોને જાહેર આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે (મો. ૯૪ર૭૭ ૭૩પ૬૮, ૯૪ર૭૪ ૪પ૩પ૩) પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial