Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે ઉહાપોહ પછી તંત્ર સફાળું જાગ્યું ખરૃં...!!
ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયામં સલાયા નાકા પાસે ગટરના પાણી ઘરોમાં ભરાવાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો. જે અંગે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને ત્રણ દિવસથી જહેમતના અંતે પ્રશ્ન હલ કર્યો હતો.
ખંભાળીયા પાલિકા દ્વારા સુખનાથ મહાદેવની તેલી નદીના બ્રીજ સુધી વિજય સિનેમા રોડ પર નવો રોડ બનાવતા આ કાર્યમાં નદીના વિસ્તારની પોલાણવાળી જગ્યામાં ભેખડો અટકી જતા અડચણ ઊભી થતા ગટરોના પાણીનો નિકાલનો રસ્તો બંધ થઈ ગયો હોત. આ રસ્તો બંધ થઈ જતા ગટરના પાણી રસ્તા પર ફરી વળતા તથા કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતાં. જે અંગે સોશ્યલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થયો હતો.
સેનીટેશન વિભાગના કામદારો દ્વારા સતત ત્રણ દિવસ સુધી આ રસ્તો બંધ થયો હતો. તે પૂર્વવત કરવા કામગીરી કરીને ગટરના પાણીના નિકાલનું કાર્ય પૂર્ણ કરતા ગઈકાલની ગટરના પાણી ભરાવાનો પ્રશ્ન હલ થઈ જતા લોકોને રાહત થઈ હતી.
વોર્ડ નં. ર માં આ ગટરના પાણીનો પ્રશ્ન ગંભીર હોય, સવારથી સાંજે સુધી પાલિકાના સફાઈ તંત્રએ મોટી સંખ્યામાં મજૂરો તથા મશીનરી સાથે રાખીને કાર્ય પૂર્ણ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial