Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે આસામીને ચેક પરત કેસમાં છ મહિના તથા એક વર્ષની કેદ

બંને આસામીને દંડ ભરવા અદાલતનો આદેશઃ

જામનગર તા.૧૧ ઃ જામનગરના બે આસામી સામે અદાલતમાં કરાયેલી ચેક પરતની ફરિયાદમાં એક આસામીને છ મહિનાની સજા અને રૃા.૪૯ હજાર ઉપરાંતનો દંડ બીજા આસામીને એક વર્ષની કેદની સજા અને રૃા.૧ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યોે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ નરેશ દયાળજીભાઈ પાબારી તથા સમીર ધીરજલાલ બદિયાણીએ સોસાયટી પાસેથી લોન મેળવી હતી. તે લોન ભરપાઈ કરવા ચેક આપવામાં આવ્યા હતા. તે ચેક બેંકમાંથી રિટર્ન થયા હતા.

ત્યારપછી સોસાયટી દ્વારા બંને આસામીને નોટીસ અપાઈ હતી. તેમ છતાં ચેક મુજબની રકમનું લેણું ભરપાઈ કરવામાં ન આવતા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૮ હેઠળ બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તે કેસ ચાલવા પર આવતા અદાલતે બંને આરોપીને તક્સીરવાન ઠરાવ્યા હતા. નરેશ દયાળજી પાબારીને છ મહિનાની જેલની સજા અને રૃા.૪૯,૮૧૮નો દંડ ફટકારાયો છે. તેમજ સમીર ધીરજલાલ બદિયાણીને એક વર્ષની જેલ સજા અને રૃા.૧,૪૭,૫૪૫નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે બંને આરોપી હાજર ન હોવાથી વોરંટ ક્ઢાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh