Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી-મહાનુભાવો-ભાવિકોએ કરી પુષ્પવર્ષાઃ
ખંભાળિયા તા. ૧૧ઃ દ્વારકાના હાથીગેટ પાસે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી ઋકમણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને પરંપરાગત્ વિધિથી શ્રીકૃષ્ણ-ઋકમણીજીનું સામૈયું કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને ચરિતાર્થ કરતો માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી ઋકમણીજીના વિવાહ પૂર્ણ થયા પછી દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ-દેવી ઋકમણીજી સત્કાર સમારોહના ભાગરૃપે શોભાયાત્રા યોજાઈ હતી. દ્વારકાના હાથીગેટ પાસે શોભાયાત્રાનું આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું.
વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પણ ભગવાન શ્રીકૃષ્ણ-દેવી ઋકમણીજીને ઉત્સાહભેર કંકુ તિલક કરીને ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રા દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. આ યાત્રાનું દ્વારકાધીશ મંદિર, ભદ્રકાલી ચોક, રબારી ગેટ અને ઋકમણી મંદિરમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, વેપારીગણ, નગરજનો દ્વારા પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા ઋકમણી મંદિરમાં સમા૫ન થઈ હતી, જ્યાં ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણ અને ઋકમણીજીને દ્વારકાની નગરીમાં નિવાસ માટે મીઠો આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પબુભા માણેક, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial