Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં આવેલા
જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં કુન્નડ ગામે આવેલ પ્રખ્યાત કુંડલિયા હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતા મંદિરમાં દર વર્ષે હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે, એ મુજબ શનિવારે ચૈત્ર સુદ પૂનમને તા.૧ર-૪-ર૦રપના આ પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
શનિવારે સવારે ૪ થી ૭ દરમિયાન કળશ, દેવ સ્થાપના તથા પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારપછી સવારે ૯ થી ૧૧ સુધી હનુમાનજી ઉપર રૃદ્રાભિષેક કરવામાં આવશે. સવારે ૧૧ વાગ્યાથી ૧ર વાગ્યા સુધી સુંદરકાંડ કરવામાં આવશે, જેમાં દરેક ચોપાઈના અંતે દોહરા દ્વારા આહૂતી અપાશે. બપોરે ૧ર થી ૧ર-૩૦ દરમિયાન બીડું હોમવાની વિધિ અને ત્યારપછી બ્રહ્મભોજન અને સમૂહ ભોજન રાખેલ હોય, સૌ ભક્તજનોને આ પવિત્ર ધાર્મિક પ્રસંગનો લાભ લેવા કુંડલિયા હનુમાનજીના મહંત શ્રી અવધેશદાસજી શાસ્ત્રીજી ગુરુશ્રી પ્રેમદાસજી મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial