Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કાલે રાજપૂત સમાજનો ૨૫મો લગ્નોત્સવ ઉજવાશેઃ તડામાર તૈયારી

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શકિતસિંહ ગોહિલ, માજીમંત્રીઓની ઉપસ્થિતિ

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજના ૨૫મા સમૂહ લગ્નનું આયોજન આવતીકાલે તા. ૨-૩-૨૫ના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે કષ્ટ ભંજન હનુમાન મંદિરના વિશાળ પટાંગણમાં કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજયસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ, માજીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માજીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) ખાસ ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નના મુખ્ય દાતા તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ તથા રાજપૂત અગ્રણી વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા) તેમજ એકતાબા સોઢા તેમજ અન્ય દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો છે. આવતીકાલે યોજાનાર ૨૫મા સમૂહ લગ્નોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh