Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર તથા રેન્જ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ એસપી સહિતના છ આઈપીએસ અને પોલીસ કાફલો ખડેપગેઃ
જામનગરમાં આજે વડાપ્રધાનનું સાંજે આગમન થઈ રહ્યું છે. તે પહેલાં જિલ્લા કલેક્ટર કે.બી. ઠક્કર તેમજ રેન્જ આઈજી અશોક યાદવના સઘન માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના છ આઈપીએસ અધિકારીઓ અને ડીવાયએસપીઓ, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ દ્વારા ગઈકાલે એસપીજી કમાન્ડોની ટૂકડી, ફાયરબ્રિગેડ, ૧૦૮ ટીમ વગેરેને સાથે રાખી રિહર્સલ યોજવામાં આવ્યું હતું. એરફોર્સથી લાલબંગલા સ્થિત સર્કીટ હાઉસ સુધી અને તે પછી એરપોર્ટ સુધી પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે. રોડની બંને તરફ બેરીકેટીંગ કરી લેવામાં આવ્યું છે. વડાપ્રધાનનો કાફલો સર્કીટ હાઉસ પહોંચે તે દરમિયાન પૂર્વ રાજવીના નિવાસસ્થાન પાસે પણ ચૂસ્ત સુરક્ષા ગોઠવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજીને જન્મદિનની શુભેચ્છા પાઠવવા ત્યાં રોકાશે તેમ લાગી રહ્યું છે. આજે રાત્રે વડાપ્રધાન જામનગર રોકાયા પછી એરપોર્ટ પર પહોંચી ત્યાંથી ચોપર મારફત રિલાયન્સ પહોંચશે. તે પહેલાં જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી મંગાવવામાં આવેલા પોલીસ કાફલાને સુરક્ષા વ્યવસ્થામાં જોડવામાં આવ્યો છે અને તેનું સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial