Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શિવ શોભાયાત્રાનું સ્વાગત

'છોટીકાશી' તરીકે ઓળખાતા જામનગરમાં વર્ષોની પરંપરા મુજબ મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા શિવરાત્રિના પાવન અવસરે શિવશોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરના બેડીગેઈટ વિસ્તારમાં શિવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સંસ્થા દ્વારા શિવ પરિવારના દર્શનની ઝાંખી નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન સર્વ શિવ ભક્તો માટે સરબત વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સિમિત રાવલ, સુનિલ જોષી, મહેશ રાવલ, કિરીટ ઠાકર, રાજેશ ઠાકર, પ્રણવ રાવલ, નિરવ મહેતા, જાંમ્બાલી રાવલ, રાજુ વ્યાસ, વિરલ ત્રિવેદી, રાજેન્દ્ર પુરોહિત, કપિલ રાવલ, કેતન જોષી વગેરે ભાઈઓ-બહેનો દ્વારા શોભાયાત્રાના સંચાલકોનું સન્માન તથા સ્વયંસેવકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh