Advertisement
Author: નોબત સમાચાર

વલસાડમાં ર.૬ ની તીવ્રતાનો ભૂકંપ

જાનહાનિના કોઈ અહેવાલો નથીઃ

અમદાવાદ તા. ૧ઃ આજે સતત બીજા દિવસે ગુજરાતમાં ભૂકંપ અનુભવાયો છે. આજે વલસાડમાં ર.૬ ની તીવ્રતાનો ધરતીકંપ થયો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં સતત બીે ધરતીકંપ અનુભવાયો છે. વલસાડમાં આજે (પહેલી માર્ચ) ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતાં. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ર.૬ ની તીવ્રતા સાથે ભૂંકપ આવતા કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉલ્લેખનિય છે કે શુક્રવારે (ર૮ મી ફેબ્રુઆરી) ગીરસોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા-ગીરના ગ્રામ વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રુજી હતી. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh