Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં રમઝાનમાં સાફ સફાઈ વધારવા રજૂઆત

જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસર સમક્ષ

સલાયા તા. ૧ઃ ખંભાળિયા તાલુકાના સલાયાની તમામ મસ્જિદ, દરગાહ અને ચોકમાં નિયમિત સફાઈ કામગીરી અને ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અંગે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

રમઝાન માસ ચાલુ થઈ રહ્યા છે. આથી આઈ લવ સલાયા ટીમ અને જાગૃત નાગરિક દ્વારા આ રજૂઆતમાં જણાવ્યું છે કે, તા. ર માર્ચથી મુસ્લિમ સમાજનો રમઝાન માસ શરૃ થઈ રહ્યો છે. ૩૦ દિવસ અલ્લાહની બંદગી છે. સાથે દાન-પુણ્યના કાર્યમાં જોડાય છે. જેથી આ રમઝાન માસને ધ્યાનમાં રાખીને સલાયામાં બસ સ્ટેન્ડ, બંદર રોડ, મસ્જિદ ચોક વગેરેમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા, ઉકરડાની સફાઈ કરવામાં આવે તેવી માંગણી છે. સાથોસાથ પાણી વિતરણ વહેલુ કરવાની પણ માંગ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh