Advertisement
Author: નોબત સમાચાર

મહાકુંભથી પરત ફરતા ગુજરાતી પરિવારોની કાર? ટ્રક સાથે અથડાતા ચાર શ્રદ્ધાળુના મૃત્યુ

ગારિયાધાર અને ભાલવાવના પરિવારોઃ એક ઈજાગ્રસ્ત

પ્રયાગરાજ તા. ૧ઃ મહાકુંભથી પાછા આવતા ગુજરાતના ૪ શ્રદ્ધાળુ મૃત્યુ થયા છે. યુપીમાં કાર-ટ્રક વચ્ચે ભીષણ ટકકર થતા આ કમનસીબ દુર્ટના સર્જાવા પામી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ઝાંસી-કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ૪ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં ગારિયાધાર અને ભાલવાવના ચાર લોકો સામેલ છે જ્યારે અન્ય એક  ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. અકસ્માત શુક્રવારે (૨૮મી ફેબ્રુઆરી) સવારે ૪ વાગ્યે થયો હતો. મળતી માહિતી અનુસાર, મૃતકોમાં ગારિયાધારના રૂૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન જ્યારે ભાલવાવના જગદીશ-ભાઈ અને કૈલાશબેનનો સમાવેશ થાય છે. જ્યારે   દીકરી ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. અકસ્માતના અહેવાલથી વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે ગુજરાતના પરિવારની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનો દાવો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh