Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના રાજલ સ્ટડ ફાર્મની સિદ્ધિઃ
જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લાના ખીજડિયા રાવાણી સ્થિત રાજલ સ્ટડ ફાર્મની કાઠિયાવાડી વછેરીએ ૧૪ મા જસરા શોમાં (ર૦ થી ર૬ ફેબ્રુઆરી) પ્રથમ સ્થાન હાંસલ કરી ગૌરવ વધાર્યું છે.
રાજલ સ્ટડ ફાર્મની માલિક ભાવશાબેન કારિયા એક જુસ્સાદાર અશ્વપ્રેમી, સ્ટડ ફાર્મ માલિકઅને ભારતીય મૂળના અશ્વોની સંરક્ષણકર્તા છે. તેમની સંભાળ હેઠળ ૧૧ અશ્વો છે. તેઓ અશ્વપ્રેમી સમાજમાં ચાલતી કેટલીક ક્રૂર પરંપરાઓ સામે અવાજ ઊઠાવી રહ્યા છે. આજે પણ ઘણાં સ્થળોએ સ્પાઈકડ વિટ્સ, અતિશય મારપીટ અને અશ્વોને પૂરતો આરામ ન આપવાની રૃઢિચૂસ્ત માન્યતાઓ પ્રચલિત છે, જેના વિરોધમાં ભાવનાબેન સતત પ્રયત્નશીલ છે.
આ ઉપરાંત તેઓ ભારતની શ્રેષ્ઠ અને પ્રાચીન જાતિ કાઠિયાવાડી અશ્વની ખોવાતી ઓળખને પુનઃસ્થાપિત કરવા માટે કાર્યરત છે. મરવાડી અશ્વે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે, પણ કાઠિયાવાડી અશ્વ હજુ પણ ઉદાસીનતાનો શિકાર છે. ભાવનાબેનના અવિરત પ્રયાસો દ્વારા કાઠિયાવડી અશ્વને વૈશ્વિક માન્યતા અપાવવાનો અને તેને અશ્વપ્રેમી વિશ્વમાં ફરીથી તેનું મહત્ત્વ આપવાનો તેમનો સંકલ્પ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial