Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ સાથે ગુજરાત, પ. બંગાળ સહિતના નવા પ્રદેશ પ્રમુખોની ટૂંક સમયમાં ઘોષણા

વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને અમિત શાહ, રાજનાથસિંહ, જે.પી. નડ્ડા, બી.એલ. સંતોષની બેઠક યોજાઈઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૭: ભાજપના પ્રમુખનું એલાન અને સંગઠનમાં મોટા ફેરબદલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ર૦ મી એપ્રિલ પછી ગમે ત્યારે પક્ષના નવા પ્રમુખની ઘોષણા થઈ શકે છે. ગુજરાત સહિતના રાજ્યોને પણ નવા અધ્યક્ષ મળશે. કેટલાક મહામંત્રીઓ બદલાશે, કેટલાકને આરામ આપવાની પણ તૈયારી હોવાનું જાણવા મળે છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ર૦ અપ્રિલ પછી થઈ શકે છે. આ સાથે ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ રાજ્યોના પાર્ટી અધ્યક્ષોના નામ પણ થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ હતી. આમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ જોડાયા.

સૂત્રના જણાવ્યા અનુસાર બેઠકમાં સંગઠનમાં ફેરબદલ અને નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં જે.પી. નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમણે જાન્યુઆરી ર૦ર૦ માં આ પદ સંભાળ્યું. તેમનો કાર્યકાળ જૂન ર૦ર૪ સુધી લંબાવવામાં આવ્યો હતો, જેથી તેઓ લોકસભા ચૂંટણી સુધી કામ કરી શકે.

રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ફેબ્રુઆરી ર૦રપ સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં રાજ્ય ચૂંટણીઓને કારણે તેમાં વિલંબ થયો. નડ્ડા હાલમાં કેન્દ્રિય મંત્રી પણ છે, પરંતુ નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પાર્ટી પ્રમુખ રહેશે.

ભાજપે પ્રદેશ પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા ઘણાં રાજ્યોમાં પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ જેવા કેટલાક મોટા રાજ્યોમાં હજુ સુધી નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી નથી.

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવમાની છે. તેથી ભાજપ નવા પ્રદેશ પ્રુમખ અને નવી ટીમ શોધી રહી છે, જે ચૂંટણી પહેલા જવાબદારી સંભાળી શકે. ર૦ એપ્રિલ પછી પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેનો સમયપત્રક જાહેર કરશે. આમાં નામાંકનની તારીખ, ચૂંટણીની તારીખ, (જો જરૂરી હોય તો) અને નવા પક્ષ પ્રમુખની જાહેરાતનો સમાવેશ થશે.

ચાલી રહેલી વ્યાપક ચર્ચા મુજબ ભાજપ એક યુવા ટીમ બનાવવા માંગે છે. તેથી કેટલાક મહાસચિવોને બદલી શકાય છે અને તેમના સ્થાને યુવા ચહેરાઓને તક મળી શકે છે. પક્ષ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરી રહ્યો છે. આનો અર્થ એ થયો કે ભાજપમાં યુવાનોને આગળ લાવવાની તૈયારી ચાલી રહી છે. પાર્ટી ઈચ્છે છે કે યુવા નેતાઓ આગળ આવે અને પાર્ટીને નવી દિશા આપે. આ ફેરફાર ભાજપને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરશે.

એવા પણ સમાચાર છે કે પાર્ટી સંગઠનમાં કેટલાક વધુ ફેરફારો થઈ શકે છે. કેટલાક જુના નેતાઓને આરામ આપવામાં આવી શકે છે અને તેમના સ્થાને નવા લોકોને તક મળી શકે છે. ભાજપ ઈચ્છે છે કે પાર્ટીમાં હંમેશાં નવી ઊર્જા રહે. તે ઉપરાંત કેટલાક કેન્દ્રિય મંત્રીઓને સંગઠનમાં મોકલી શકાય છે, અને મોદી મંત્રીમંડળમાં પણ ફેરબદલ કરીને કેટલાક મંત્રીઓને આરામ આપીને નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. તે ઉપરાંત સાથીદાર પક્ષોને પણ પ્રવર્તમાન રાજકીય માહોલ તથા આવી રહેલી કેટલીક ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને મહત્ત્વ આપવાની રણનીતિ અપનાવાશે, તેવી અટકળો છે.

એકંદરે ભાજપમાં મોટા ફેરફારો થવાના છે. નવા પ્રમુખની પસંદગી થશે. રાજ્ય પ્રમુખો બદલાશે અને સંગઠન તથા સરકાર પણ ફેરબદલ થશે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય પક્ષને મજબૂત બનાવવાનો અને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે. આ ફેરફારો પછી ભાજપ કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. શું યુવા નેતાઓને તક મળશે? શું પક્ષ સંગઠનમાં નવી ઊર્જા આવશે? આ પ્રશ્નોના જવાબો આગામી દિવસોમાં મળશે. હાલ પૂરતું એટલું કહી શકાય કે ભાજપમાં કંઈક મોટું થવાનું છે. પક્ષના નેતાઓ અને કાર્યકરો આ ફેરફારોથી ઉત્સાહિત છે. તેઓ આશા રાખી રહ્યા છે કે આ ફેરફારો પાર્ટીને વધુ મજબૂત બનાવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh