Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧૮૧ અભયમની ટીમે એક દંપતીનો ઝઘડો નિપટાવી સુખદ સમાધાન કરાવ્યું

અજાણી મહિલા માટે સજજન મહિલાએ ફોન કરતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં એક સજ્જન મહિલા દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવેલ કે, એક અજાણી મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થતાં તે ઘર છોડી નીકળી ગયા છે અને પોતાના વતન પરત જવા માંગે છે આ મહિલાને મદદની જરૂર જણાતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહિલા પોલીસ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહોચ્યા હતા.

૧૮૧ અભયમની ટીમે આ મહિલાને સાંત્વના આપ્યા પછી સમજાવ્યું હતું કે, ગુસ્સામાં ઘર છોડી નીકળી જવું એ સમસ્યાનું સમાધાન નથી.

આ બનાવ અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશનાં વતની છે અને ૬ માસથી પતિ અને દીકરા સાથે અહીં રોજગાર અર્થે આવ્યા છે. પીડિતાનાં બીજા લગ્ન છે અને તેનો સત્તર વર્ષનો દીકરો તેમની સાથે રહે છે અને મજૂરી કામ કરી ઘરખર્ચમાં મદદ કરે છે. પરંતુ પતિ ઘરખર્ચ ન આપી તેણીને અન્ય પુરુષો સાથે સંબંધ હોય તેમ શંકા અને વહેમ રાખી અવાર-નવાર ઝઘડો કરી માનસિક ત્રાસ આપી મારપીટ કરતા હોવાથી તેણીએ કંટાળીને ઘર છોડી દીધું હોવાનું ૧૮૧ અભયમની ટીમને જણાવ્યું હતું. તે પછી અભયમની ટીમે મહિલાને સમજાવી અને તેના પતિનો સંપર્ક કરી યોગ્ય પરામર્શ કર્યા બાદ ઘરેલું હિંસા એક્ટ અંગે કાયદાકીય માહિતી, નૈતિક ફરજ વિશે સમજાવતા તેણીના પતિએ પોતાની ભૂલ સ્વીકારી પોતાની પત્નીને ત્રાસ ન આપી સુખદ સમાધાન કર્યું હતું. મહિલાને કોઈ આગળની કાયદાકીય કાર્યવાહી ન કરવી હોવાથી અભયમની ટીમે તેણીનું પુનઃ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh