Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પ્રવાસન નિગમ અને એસટી દ્વારા
ગાંધીનગર તા. ૧૭: ગુજરાતના પ્રવાસ પર્યટન સ્થળોની યાત્રા માટે ખાસ એસી વોલ્વો બસ ટૂર પેકેજનું આયોજન થયું છે. રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવેલ કે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ તથા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સહીયારા પ્રયાસોથી સોમનાથ દર્શન નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ પેકેજનું આયોજન થયું છે.
સોમાનાથ પેકેજ ટુર તા. ૨૮-૪-૨૫થી શરૂ થશે. રાણીપ અમદાવાદથી નિયમિત ધોરણે સવારે ૬ વાગ્યે અદ્યતન એસી વોલ્વો બસ ઉપડશે અને બપોરે ચાર વાગ્યે સોમનાથ પહોંચી બીજા દિવસે પરત ફરશે. પેકેજનો દર બે દિવસ એક રાત્રિ પ્રતિ વ્યક્તિ સીંગલ ૪ હજાર, ડબલ ૭૦૫૦ હોટલ રૂમ સહિત રાખવામાં આવ્યું છે.
નડાબેટ સીમા દર્શન ૨૬-૦૪-૨૫થી દર શનિ-રવિવારે અમદાવાદથી સવારે ૬ વાગ્યે ઉપડી નડાબેટ ૧૨:૩૦ બપોરે પહોંચશે જેનો ચાર્જ વ્યક્તિ દીઠ ૧૮૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.
વડનગર, મોઢેરા, સૂર્ય મંદિર રૂટ માટે ૨૬-૦૪-૨૫થી દર શનિ-રવિ સવારે અમદાવાદથી નવ વાગ્યે વોલ્વો બસ ઉપડી ૧૧:૩૦ વાગ્યે વડનગર સાંજે ૫:૩૦ કલાકે મોઢેરા પહોંચશે જેનો દર પ્રતિ વ્યક્તિ ૧૧૦૦ રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial