Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૭: ગુજરાત રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલી છે. દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને (રૂ. ૭૫,૦૦૦- રૂ. ૭૫,૦૦૦) રૂ. ૧,૫૦,૦૦૦ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૭૫,૦૦૦ સહાય મળવાપાત્ર છે. તેમજ સંત સૂરદાસ યોજનામાં ૬૦ ટકા કે તેથી વધુ ટકાવારી વાળા દિવ્યાંગ વ્યક્તિઓને પ્રતિ માસ રૂ.૧૦૦૦ સહાય મળવાપાત્ર છે.
દિવ્યાંગ લગ્ન સહાય અને સંત સૂરદાસ યોજનાનો લાભ મેળવવા (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ) પર ઓનલાઈન અરજી કરવી. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, રૂમ નં.એજી/૩, ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન, ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા , ફોન નં. (૦૨૮૩૩) ૨૯૯૪૩૩ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial