Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયામાં ફાયર-ડેની ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા પાલિકાના ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર કે જેઓ સમગ્ર દ્વારકા જિલ્લાના એક માત્ર ચીફ ફાયર ઓફિસર છે તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા તથા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા આગેવાનો જોડાયા હતાં.
ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર દ્વારા ફાયર ડે નિમિત્તે પ્રાસંગિક વકતવ્ય તથા મોટા મોટા બનાવોમાં લેવા યોગ્ય કાળજી અંગે જાણકારી આપી હતી તથા ભૂતકાળના તેમના અનુભવોને યાદ કર્યા હતા.
પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા દ્વારા જીવના જોખમે ફાયર વિભાગ દ્વારા થતી પ્રવૃત્તિ કામગીરીને બિરદાવીને દ્વારકા જિલ્લા તથા ખંભાળિયા વિસ્તારમાં ફાયર વિભાગની ત્વરીત કામગીરીની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં સુખદેવસિંહ વાઢેર, મનસુખભાઈ મારૂ, ધવલભાઈ, નીમીષભાઈ, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial