Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રંગભૂમિ દિન પર નાટય ફળીયુંની પ્રસ્તુતિઃ
જામનગર તા. ૧૭: તાજેતરમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી નિમિત્તે જામનગરનાં એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં ગુજરાત સંગીત નાટ્ય અકાદમીની સહાયથી રાજકોટનાં વરિષ્ઠ રંગકર્મી કૌશિક સિંધવની સંસ્થા નાટ્ય ફળીયું નાં ઉપક્રમે વૃદ્ધાશ્રમમાં આશ્રિત વડીલો માટે નાટ્ય પ્રયોગ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. વૃદ્ધાશ્રમનાં ટ્રસ્ટીઓ ભરતભાઇ મોદી, શરદભાઇ શેઠ તથા આમંત્રિત અતિથી ગોવ શિપ યાર્ડનાં ચેરમેન હસમુખભાઈ હિંડોચા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં શ્રી ઝાલા સહિતનાં મહાનુભાવો નાં હસ્તે દિપ પ્રાગટય વડે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. 'આતમરામ મારો ઉપરવાળો' નામનાં માર્મિક નાટકની ભાવવાહી પ્રસ્તુતિથી વૃદ્ધાશ્રમનાં વડીલોની આંખો ભીની થઇ ગઇ હતી. ૮૦ વર્ષની વયે પણ કૌશિક સિંધવની આગવી અભિનય કલાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનાં આયોજનમાં નગરનાં જાણીતા રંગકર્મી પાર્થસારથી વૈદ્યનો સહયોગ સાંપડ્યો હતો. સંસ્થાનાં હોદ્દેદારોએ પણ કલાકારોનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial