Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસીમાંથી સગીરાનું અપહરણ કરનાર પંજાબમાંથી પકડાયો

સંખ્યાબંધ મોબાઈલ ચકાસી સગડ શોધાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૭ : જામનગરના દરેડ જીઆઈડીસીમાં રહેતા એક શખ્સ સામે ગયા જાન્યુઆરી મહીનામાં એક સગીરાના અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. પોલીસે સંખ્યાબંધ મોબાઈલની કોલ ડીટેઈલ ચકાસ્યા પછી આ આરોપીના સગડ શોધી કાઢી તેને અને સગીરાને પંજાબ રાજ્યમાંથી દબોચ્યા છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં વસવાટ કરતા અર્જુન રાજેશભાઈ વાઘેલા નામના શખ્સ સામે શક પ્રદર્શિત કરી એક પ્રૌઢે જાન્યુઆરી મહિનામાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી હતી.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અર્જુન વાઘેલા આ પ્રૌઢની સગીર વયની પુત્રીને ગઈ તા.૩ની રાત્રે સાડા બાર વાગ્યા પછીના સમયે ઉપાડી ગયો હતો. પોલીસે ગુન્હો નોંધી શકદારના સગડ દબાવ્યા હતા. તેને પકડવા માટે પોલીસે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી જુદા જુદા ૩૮ મોબાઈલની વિગતો ફંફોળી હતી જેમાં અર્જુન વાઘેલાનો એક નંબર જણાઈ આવ્યો હતો.

તે નંબરની ખરાઈ કર્યા પછી ટ્રેસ કરાયેલા લોકેશનના અંતે આ શખ્સ પંંજાબમાં હોવાની વિગતો મળી હતી તેથી પીએસઆઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફે પંજાબ રાજ્યમાં ધસી જઈ ખરર ગામમાંથી આ શખ્સ અને સગીરાને શોધી કાઢ્યા છે અને બંનેને જામનગર ખસેડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh