Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અંબર જંકશનનો માર્ગ તારીખ ૩૦ મે સુધી ડાયવર્ટ કરાયો

ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું હોવાથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર શહેરમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજના માર્ગે ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. જે કારણોસર અંબર ચોકડીવાળા માર્ગનો અમુક હિસ્સો તા. ૧૮-૪-ર૦રપ થી તા. ૩૦-પ-ર૦રપ સુધી બંધ રાખવા માટે મ્યુનિ. કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જામનગરમાં ફોરલેન એલીએટેડ ફ્લાય ઓવર બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અંબર જંક્શન પરના કનેક્ટીંગ સ્લેબની કામગીરી અનુસંધાન સલમતિના ભાગરૂપે અને અકસ્માત નિવારણના હેતુથી તા. ૧૮-૪-ર૦રપ થી તા. ૩૦-પ-ર૦રપ સુધી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વૈકલ્પિક વ્યવસ્થા માટે વાહનચાલકો જી.જી. હોસ્પિટલથી તીનબત્તી તથા ગુરુદ્વારા જંક્શન તરફ જતા રસ્તાની અંબર જંક્શન પરથી આવક-જાવક બંધ રહેશે. તેના બદલે અંબર જંક્શનથી જુના રેલવે સ્ટેશન તરફના ગાળા મારફત તીનબત્તી તથા ગુરુદ્વારા તરફ જઈ શકાશે. નાગનાથ જંક્શનથી અંબર જંક્શન થઈ જી.જી. હોસ્પિટલ તરફ જતા રસ્તાની અંબર જંક્શન પરથી વાહનની આવક-જાવક બંધ રહેશે. જેના ડાયવર્ઝન રૂટ આઈસીઆઈસીઆઈ બેંક તરફના ગાળા મારફત અંબર સિનેમા તરફ તથા જી.જી. હોસ્પિટલ તરફ જઈ શકાશે. ગુરુદ્વારા જંક્શનથી અંબર જંક્શન થઈ નાગનાથ જંક્શન તરફના બન્ને સાઈડના આવક-જાવકના રસ્તા ચાલુ રહેશે.તેમ જામનગર મહાનગરપાલિકાના કમિશનરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh