Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી મોટી હવેલીમાં પૂ.રસાર્દ્રરાયજીના જન્મદિનની ભક્તિમય ઉજવણી

ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત હાલારી રાસ, ફૂલમંડલી, માર્કંડેય પૂજા, કુનવારા મનોરથ સહિતના કાર્યક્રમ

                                                                                                                                                                                                      

રસાર્દ્રરાયજીનાં જન્મદિન નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત જન્મદિનની પૂર્વ રાત્રિએ ચૈત્ર વદ બીજનાં હાલારી રાસ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં જોડાઈને વૈષ્ણવો ધન્ય થયા હતાં. ગઇકાલે ચૈત્ર વદ ત્રીજના બાવાશ્રીનાં જન્મદિન નિમિત્તે રાજભોગ આરતીમાં ફૂલમંડલી મનોરથ સિદ્ધ કરવામાં આવ્યો હતો. સાંજે મોટી હવેલીનાં ગાદિપતિ પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પ.પૂ.ગો. શ્રી ૧૦૮ હરિરાયજી મહારાજની પાવન નિશ્રામાં તથા પૂ.વલ્લભરાયજી મહોદયના સાંનિધ્યમાં પૂ. રસાર્દ્રરાયજી દ્વારા વલ્લભ કુળની પરંપરા મુજબ માર્કંડેય પૂજા કરવામાં આવી હતી.જે પછી કેસર સ્નાન અને વધાઈ કીર્તન પણ યોજાયા હતાં. આજે મહોત્સવનાં ત્રીજા દિને સાંજે ૬ કલાકે કુનવારા મનોરથના દર્શન થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh