Advertisement
Author: નોબત સમાચાર

જુની પેન્શન યોજનાના લાભો અંગે નાણા વિભાગે પરિપત્ર જાહેર કરતા રાહત

તા. ૧-૪-ર૦૦પ પહેલા નોકરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: રાજ્યના તા. ૧-૪-ર૦૦પ પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાના લાભનો પરિપત્ર જાહેર કરતા રાહત થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા તા. ૧-૪-ર૦૦પ પહેલા નોકરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા લાંબા સમય પછી ગઈકાલે તા. ૧૬-૪-ર૦રપ ના રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા વિગતવાર સૂચના સાથે પરિપત્ર કરતા લાભાર્થી કર્મચારીઓને રાહત થઈ છે.

વિગતવાર પરિપત્રમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧-ર૦ર૪ ના ઠરાવ ગુજરાતની પાત્રતા ધરાવતા કર્મચારી અધિકારીઓએ જુની પેન્શન યોજનાનો લાભ મેળવવા ઠરાવ પ્રસિદ્ધ થયાથી ત્રણ માસમાં અરજી કરવાની રહેશે. નિવૃત્ત થયેલા કર્મચારીઓએ તેમના વિભાગ દ્વારા અરજી કરવાની રહેશે. તા. ૮-૧૧-ર૦ર૪ ઠરાવનો લાભ મેળવી જુની પેન્શન યોજના મેળવવા માંગતા અને પાત્રતા ધરાવતા કર્મીઓએ જુની પેન્શન યોજનાનો વિકલ્પ આપવાનો રેશે નહીં. તો નવી વર્ધિત યોજનામાં ચાલુ રહેશે. કર્મચારીઓએ જી.પી.એફ.માં જોડાવાનું ફોર્મ પણ રજૂ કરવાનું રહેશે જે આ લાભ મેળવવા અરજી કરે તેમાં અવસાન પામેલા, નિવૃત્ત કે એક વર્ષમાં નિવૃત્ત થનારને અગ્રતા આપવાની રહેશે.

તા. ૮-૧૧-ર૦ર૪ ના ઠરાવ પછી લાંબા સમયે જુની પેન્શન યોજનાનો વિગતવાર પત્ર જાહેર થતા લાભ મેળવવા પાત્ર સરકારી કર્મચારીઓમાં આનંદની લાગણી ઊઠી છે, તથા વારંવાર અનેક સરકારી-બીનસરકારી સંઘો, સંગઠનો, યુનિયનોની પણ કામગીરી રજૂઆતો ફળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh