Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ દાયકા જુનો કેસ સેસન્સ કમિટ થયો હતો
જામનગર તા. ૧૭: જામનગરના નવાગામ (ઘેડ) માં રહેતા અને મૂળ ગોરખપુર (યુ.પી.) ના દિલીપકુમાર શ્રી બનારસી જયસ્વાર ઉર્ફે ચોથીપ્રસાદ સામે વર્ષ ૧૯૯૩ ની ૧૬ મી જુલાઈએ રાત્રે દસેક વાગ્યાના સુમારે બેડીબંદર સૌરાષ્ટ્ર કેમિકલની અંદરથી વાલીના કબજામાંથી લલચાવી, ફોસલાવી, ભગાડી જઈ અપહરણ કરી વડોદરામાં વર્ષ ૧૯૯૩ ની ૧૭ મી ઓગસ્ટ સુધી સગીરાને રાખીને અવારનવાર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જામનગરના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. તે પછી વોરંટ કાઢવા છતાં આરોપી હાજર નહીં થતા અને જામીનદાર નહીં મળતા આરોપી વિરૂદ્ધ આ કેસ સેસન્સ કમિટ કરાયો હતો. વર્ષ ર૦રર ની નવમી ડિસેમ્બરે કેસ સેસન્સ કમિટી થયા પછી પણ અવારનવાર સમન્સ તથા વોરંટ કાઢવા છતાં આરોપી મળી આવ્યો નહીં હોવાથી સેસન્સ કોર્ટમાં તહોતનામું મૂકી અદાલતે આરોપીના બચાવ માટે એલએડીસી તરફથી સરકારી ખર્ચે એડવોકેટ એમ.બી. સોમૈયાની નિયુક્તિ કરી હતી.
તે પછી થયેલી તબક્કાવાર સુનાવણી દરમિયાન બે સાહેદો તથા ૧૦ જેટલા દસ્તાવેજી પુરાવા ચકાસાયા હતાં અને બન્ને પક્ષોની દલીલો, ઉલટતપાસ વગેરેની સુનાવણી પછી એલએડીસીના વકીલ મનિષભાઈ સોમૈયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને સેસન્સ કોર્ટના એડિશ્નલ સેસન્સ જજ વી.પી. અગ્રવાલ સાહેબે પુરાવાના અભાવે આરોપીનો શંકાનો લાભ આપીને છૂટકારો ફરમાવ્યો હતો. આ કેસની વિશેષતા એ હતી કે એલએડીસી તરફથી નિયુક્ત થયેલા એડવોકેટે આરોપીને નિર્દોષ છોડાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial