Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬ઃ જામનગરના શ્રી સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા તા. ૧-૧૦-ર૦ર૩ ના સવારે ૧૦-૧પ વાગ્યે સેવા મંડળના દવાખાનામાં, કે.ડી. કોમ્પ્લેક્ષ, પાંચમા માળે, શ્રીનાથ ટ્રાવેલ્સની ઉપર, જામનગરમાં હરસ, મસા, ભગંદર જેવા મળમાર્ગના રોગો અંગે વિનામૂલ્યે આયુર્વેદિક ઔષધિથી ચિકિત્સા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
હરસ, મસા અને ભગંદર રોગો અતિપિડા આપનાર રોગો છે. આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને આ રોગોને કાબૂમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધી ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે. જે રોગીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓને સમયસર રવિવારે સવારે ૧૦-૧પ દવાખાનામાં હાજર થવા અને વધુ માહિતી માટે સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળના સેક્રેટરી મોતીલાલ દાસવાણી (મો. ૯૪ર૭પ ૭૪૪૪૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial