Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પંથકમાંથી સગીરાનુુું અપહરણઃ પોલીસ દ્વારા તપાસ

જામનગર તા. ૨૬ઃ ધ્રોલના ગ્રામ્ય પંથકમાંથી એક સગીરાનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ધ્રોલના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની પંદર વર્ષ અને બે મહિનાની વયવાળી સગીર પુત્રી ગયા શનિવારે રાત્રે અગિયાર વાગ્યાથી બાર વાગ્યાની વચ્ચે પોતાના ઘરેથી ગુમ થઈ છે.

આ તરૃણીને શોધવા માટે તેમના પરિવારે તમામ સંભવિતઃ સ્થળોએ તપાસ કર્યા પછી પણ તેણીનો પત્તો નહીં લાગતા આખરે આ સગીરાના વાલીએ ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરી છે. પોલીસે તેણીનું અપહરણ થયું હોવાની આશંકા પરથી આઈપીસી ૩૬૩ હેઠળ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh