Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈજી સાથેની બેઠકમાં પત્રકાર દ્વારા સુઝાવઃ
સલાયા તા. ૨૬ઃ ખંભાળિયામાં ગઈકાલે યોજાયેલી આઈજી સાથેની પત્રકારો તથા અગ્રણીઓની બેઠકમાં સલાયાના વરિષ્ઠ પત્રકારે દર વર્ષે રાજ્યમાંથી ઝડપાતા અંગ્રેજી શરાબના જથ્થાનો નાશ કરવાના બદલે તે જથ્થો પરવાનેદારને આપી તેમાંથી ઉપજતી રકમ પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવવા સુઝાવ આપ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે રાજકોટના રેન્જના આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષપદે અગ્રણીઓ તથા પત્રકારો સાથેની કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લાભરના આગેવાનો તથા પત્રકારો હાજર રહ્યા હતા. બેઠકમાં સલાયા વેપારી મંડળના પ્રમુખ તથા પત્રકાર ભરતભાઈ લાલે રજૂઆત કરી હતી કે, દર વર્ષે રાજ્યભરમાંથી કરોડો રૃપિયાની કિંમતનો બ્રાન્ડેડ શરાબનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે. તેનો નાશ કરવાના બદલે યોગ્ય એજન્સી દ્વારા દારૃના વેચાણનો પરવાનો ધરાવતા આસામીને તે જથ્થો સુપ્રત કરી તેમાંથી ઉપજતી રકમ પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવવી જોઈએ. તે ઉપરાંત દેશી દારૃના જથ્થાના કેસમાં પોલીસ દ્વારા બ્રિટીશકાળથી એક લીટર દેશી દારૃની કિંમત રૃા.૧ તરીકે ગણવામાં આવી રહી છે! તે રકમમાં સુધારો કરી દેશી દારૃની કિંમત એક લીટરના રૃા.૧૦૦ ગણી તેનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવો જોઈએ જેથી દારૃના ધંધાર્થીને વધુ સજા થઈ શકે. ઉપરોક્ત રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા આઈજીએ ખાતરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial