Advertisement
Author: નોબત સમાચાર

ઊંડ-ર ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા માંગણી

રાજ્યમંત્રીને પાઠવેલ પત્રમાં રજૂઆતઃ

જામનગર તા. ર૬ઃ ધ્રોળ પંથકમાં આવેલ ઊંડ-ર (ગુણાતી સરોવર) માં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધ્રોળના પૂર્વ ચેરમેન રસીકભાઈ ભંડેરીએ રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, ધ્રોળ તાલુકાના ઊંડ-ર (ગુણાતિત સરોવર) સિંચાઈ યોજનાને સૌની યોજના હેઠળ ભરવા માટે સ્થાનિકોની માંગણી-રજૂઆત છે. આ વર્ષ ચોમાસું નબળું હોવાથી હાલ આ ડેમ એક મીટર ખાલી છે. આ ડેમને સૌની યોજના હેઠળ ભરવામાં આવે તો ખેડૂતોને સિઝન માટે પાણી મળી રહે અને ખેડૂતો તેમનો પાક લઈ શકે. આમ ઊંડ-ર ડેમને સૌની યોજના હેઠળ પાણીથી સંપૂર્ણ ભરવો જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh