Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે ત્રણ બ્લોક તોડી પડાશે
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં કેટલીક જર્જરિત ઈમારતોનું રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. આવતીકાલે જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ત્રણ બ્લોક તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદના ચિફ ઈજનેર દ્વારા કેટલીક જર્જરિત ઈમારતોને રિ.ડેવલોપમેન્ટ કરવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં જામનગરમાં ૬૦ એલઆઈજી-સી લેન (રણજીતનગર) માટે રૃા. ૧૦ કરોડ ૯ લાખ, ઉપરાંત સાધના કોલોની ૩૬૦ એલઆઈજી અને ૨૬૪ એલઆઈજી માટે રૃા. ૮૯.૮૯ કરોડ, ૧૦૮ એલઆઈજી (સાધના કોલોની) માટે ૧૦.૮૬ કરોડ અને ૩૨૪ એલઆઈજી (સાધના કોલોની) માટે ૩૩.૫૬ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જામનગરના સાધના કોલોનીના ત્રણ જર્જરિત બ્લોકને તોડી પાડવા માટે આવતીકાલે ઓપરેશન ડિમોલીશન કરવામાં આવનાર હોવાનું પણ જાળવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial