Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનતા પૂર્ણ કરવા જતાં યુવકો બન્યા કાળનો કોળિયોઃ
જામનગર તા. ૨૬ઃ જામનગર તાલુકાના ચંગા ગામથી આરાધનાધામ નજીકના દાતા ગામ પાસે એક મંદિરે માનતા ઉતારવા માટે ગઈકાલે સાંજે ચાલીને જતાં કલ્યાણપુરના ભોપલકા ગામના બે યુવાનને કાનાલુસ ગામથી આગળ એક અજાણ્યું વાહન ઠોકર મારી નાસી ગયંુ હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં બંને યુવાનના મૃત્યુ નિપજ્યા છે. પોલીસે આ વાહનની શોધ શરૃ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના દેવેન્દ્રસિંહ ગલતુભા જાડેજા (ઉ.વ.૨૮) તથા કૌટુંબિક ભાઈ નરવીનસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૩૦) નામના યુવાનોએ જામનગર તાલુકાના ચેલા-ચંગા ગામ પાસેથી ચાલીને ખંભાળિયા ધોરીમાર્ગ પર આરાધનાધામ નજીક આવેલા દાતા ગામના પાટિયા પાસેના મામાદેવના મંદિરે ચાલીને જવાની માનતા માની હતી.
આ યુવાનો માનતા ઉતારવા માટે ગઈકાલે બપોરે આવી પહોંચ્યા પછી ચાલીને રવાના થયા હતા. તેઓ સાંજે છએક વાગ્યે કાનાલુસ ગામથી મેઘપર તરફના રોડ પર આગળ વધતા હતા ત્યારે એક અજાણ્યું વાહન પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું.
આ વાહનના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરી બંને યુવાનોને હડફેટે લેતાં દેવેન્દ્રસિંહને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે નરવીનસિંહ ઉર્ફે નીતિનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બંને યુવાનના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યું વાહન સ્થળ પરથી નાસી ગયું હતું. કોઈએ પોલીસને જાણ કરતા મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પી.એમ. માટે ખસેડી મૃતક દેવેન્દ્રસિંહના મોટાભાઈ ધર્મેન્દ્રસિંહ ગલતુભા જાડેજાની ફરિયાદ પરથી અજાણ્યા વાહનના ચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, એમ.વી. એક્ટની કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial