Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે થઈ નથી
જામનગર તા. ૩: જામનગરની ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘની તાજેતરની યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે થઈ નથી આ સામે કેટલાક જ્ઞાતિજનોએ વાંધા અરજી કરી છે.
હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિના અનેક લોકોએ આસી. ચેરિટી કમિશનર, જાહેર ટ્રસ્ટોની નોંધણીની કચેરી જામનગરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવેલ છે કે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ નામથી ટ્રસ્ટ નોંધાયેલ છે.
આ સંઘના બંધારણના પ્રબંધ મુજબ દેશના કોઈપણ ગામના જ્ઞાતિજનો વસવાટ કરતા હોય તેવા ગામ-શહેરમાંથી ૨૦૦ જ્ઞાતિજનોની સંખ્યાએ એક પ્રતિનિધિને ચૂંટીને મોકલવાના હોય છે. તે પ્રતિનિધિની મુદ્દત બે વર્ષની હોય છે. આમ આ સંઘ એ લોકશાહી ઢબે ચાલતી સંસ્થા છે.
માર્ચ-૨૦૨૫માં જામનગર અને શિક્ષણ રાહત સંઘની સામાન્ય સભામાં સંઘના ટ્રસ્ટીઓની ચૂંટણી થઈ હતી. તે ચૂંટણીમાંથી ટ્રસ્ટી ચૂંટાયા છે. તે પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવી નથી. આ ચૂંટણીમાં પાંચ મત આપવા ફરજીયાત કરવામાં આવ્યું હતું. એટલે કોઈ પ્રતિનિધિ પાંચથી ઓછા મત આપે તો મત પત્રક રદ થાય. આ પાંચ મતનો નિયમ યોગ્ય નથી.
જામનગર વિભાગના અમૂક પ્રતિનિધિઓ આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાનથી અળગા રહ્યા હતાં. ભારત દેશમાં વસવાટ કરતા જ્ઞાતિજનો સમક્ષ જાહેરાત પણ કરી ન હતી. આ ચૂંટણીની જાણ દેશના અનેક લોકોને પણ કરાઈ ન હતી તેમજ સ્થાનિક પણ અનેક લોકો અજાણ હતાં.
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ તરફથી કે તે ટ્રસ્ટના કોઈ અધિકૃત વ્યક્તિ તરફથી કે ટ્રસ્ટી તરફથી ચૂંટાયેલા નવા ટ્રસ્ટીઓના નામ ટીપીઆર ઉપર દાખલ કરવા માટે કોઈપણ ફેરફાર રિપોર્ટ રજુ થયેલ હોય કે તેવો કોઈપણ ફેરફાર રિપોર્ટ રજુ થાય તો તેવા ફેરફાર રિપોર્ટ સામે અમારો સખત વાંધો છે. આવો ફેરફાર રિપોર્ટ રજુ થાય તો તે સામે અમોને સાંભળવાની રજુઆત કરવાની કે વાંધાઓ રજુ કરવાની પૂરતી તક આપ્યા વગર ફેરફાર રિપોર્ટ અંગે કોઈપણ નિર્ણય નહીં લેવા અમારી માંગ છે. તેમ પણ આ ફરિયાદ અરજીમાં અરજદારોએ માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial