Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.બી.આઈ. સેલેરી પેકેજ અંતર્ગત
જામનગર તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવીની વાડી શાળા નં.૧માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કરમુર નેભાભાઈ નામના શિક્ષકનું એક અકસ્માતમાં દુઃખદ અવસાન થતા લાંબા વિભાગના શિક્ષકો, કલ્યાણપુર ટી.પી.ઓ. તથા દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના પ્રયાસોથી આ મૃતકના પરિવારને બેંકમાં સેલેરી એકાઉન્ટ હોવાથી રૂ. ૪૦ લાખનું વળતર ચુકવાયું હતું.
કોઈપણ પ્રિમિયમ ચાર્જ વગર લાખોનું વળતર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મેઈન બ્રાંચના મેનેજર અમિતકુમારે એક મુલાકાતમાં જણાવેલ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રાજ્ય સરકારના તમામ સ્પેશ્યલ સેલેરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓને તેમના પગારધોરણ મુજબ મૃત્યુ કે કાયમી ખોડ-ખાપણની સ્થિતિમાં રૂ. ૧૦ લાખ થી રૂ. ૧.૬૦ કરોડ સુધી ચુકવાય છે, જેનું કોઈ પ્રિમિયમ પણ લેવાતુ નથી, આ ઉપરાંત સેલેરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓના સંતાનોને અભ્યાસ માટે, લગ્ન માટે, અકસ્માતમાં એરએમ્બ્યુલન્સ કે પરિવહન માટે પણ મોટી રકમ અપાય છે. સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ, એ.ટી.એમ., ડેબીટ કાર્ડ ફ્રી, પરિવારના ચાર વ્યક્તિના ઝીરો બેલેન્સ એકાઉન્ટ, પરિવારના સભ્યોને પાંચ લાખ સુધીના વ્યક્તિગત વીમા પણ અપાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial