Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવેની જગ્યા ખાલી કરાવવા છતાં ફરી ફરીને ઝુંપડાઓ બંધાઈ જતા હોય છેઃ
જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે રેલવેની જમીનમાં ખડકાયેલા ઝુંપડા આજે ફરી એક વખત રેલવેના સુરક્ષા કર્મચારીઓ દ્વારા ખાલી કરાવાયા હતાં અને સરકારી જગ્યા દબાણ મુક્ત કરાવી હતી. જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જગ્યામાં ઝુંપડા બાંધી ત્યાં બહોળી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. આ રેલવેની જગ્યાને દબાણ મુક્ત કરવા માટે આજે રેલવેના સુરક્ષા દળની ટૂકડી દ્વારા આ તમામ ઝુંપડાને ખાલી કરાવી જગ્યા દબાણ મુક્ત કરાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ રેલવેની જગ્યામાં સમયાંતરે ઝુંપડા બાંધી લેવામાં આવે છે, અને રેલવે દ્વારા આ જગ્યા ખાલી કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૦ થી વધુ વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, પરંતુ થોડા દિવસમાં જ ફરી ત્યાં ઝુંપડપટ્ટી ખડકાઈ જાય છે, પણ રેલવે દ્વારા અહિં કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial