Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોના આરોગ્ય વિભાગ દ્વારા
જામનગર તા. ૩: ચોમાસુ નજીકમાં છે અને વરસાદ થતા પાણી ભરાઈ રહેવાની શક્યતાઓ વધી જાય છે. અને આ જમા થયેલ "પાણી એટલે મચ્છરનું જન્મસ્થળ". મચ્છર કરડવાથી મેલેરિયા જેવા રોગ લાગુ પડે છે. તેનાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
આમ, મચ્છરની ઉત્પત્તિ થતા ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં વધારો જોવા મળે છે. આ રોગચાળાને ફેલાતો અટકાવવો હોય, તો મચ્છરના ઉત્પતિ સ્થાનો શોધી અને તેનો નાશ કરવો જોઈએ.
હાલ, યોગ્ય સમય છે આવા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધીને તેનો નાશ કરવાનો. આ માટે ખાસ ધાબા પરના કાટમાળને દૂર કરો, ધાબા ઉપરના વરસાદી પાણીના નિકાલની ડ્રેનેજ લાઈનની સફાઈ કરો. નકામા ટાયર, પ્લાસ્ટિકના કપ, નકામા ભંગાર વગેરેને દૂર કરો. પાણીના ટાંકા-ટાંકી વગેરેના ઢાંકણ ચકાસી લો, જો તૂટેલા જણાય તો તેને ટાંકામાં મચ્છર ન પ્રવેશી શકે તે રીતે રીપેર કરવો.
ફ્રીજ પાછળની ટ્રે, ગાયની કુંડી, પક્ષી કુંજ ચોમાસામાં ઓછામાં ઓછું એકવાર ઘસીને સાફ કરીને સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા હિતાવહ છે.
દર રવિવારે ૧૦ મિનિટનો સમય કાઢી તમામ પાણી ભરાયેલા પાત્રોની ચકાસણી કરો. મચ્છરની ઉત્પત્તિ જણાય તો તેને દૂર કરો. આમ, ચોમાસા પહેલા પહેલા જ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને દૂર કરીએ અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગથી બચી શકાય છે તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial