Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાનાર વોટર સમિટ મોકૂફ

નવાનગર નેચર ક્લબ, જીપીસીબી અને જામ્યુકો દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: નવાનગર નેચર ક્લબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત ગુજરાત વોટર સમિટ ર૦રપ ને હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમિટનું આયોજન પ, ૬ જૂન ર૦રપ ના જામનગરના ટાઉનહોલમાં થવાનું હતું, પરંતુ એ જ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે, તેવી જાણકારી મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમોને મળી છે.

મુખ્યમંત્રીના હસ્તે જામનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાનાર છે. ટાઉનમોલમાં સુરક્ષા અને પ્રોટોકોલની દૃષ્ટિએ અન્ય કાર્યક્રમો માટે લોકોની અવજવર શક્ય બનતી નથી. આ સાથે ગુજરાત વોટર સમિટ ર૦રપ માં બે દિવસ દરમિયાન અંદાજે ર૦૦૦ થી વધુ લોકો જોડાવાના હતાં તેથી તેમના ભોજન અને બેઠક જેવી વિશાળ વ્યવસ્થાઓ પણ જરૂરી હોવાથી તાત્કાલિક આ કાર્યક્રમને અન્ય સ્થળે સ્થળાંતર કરવો શક્ય નથી. આવા સંજોગોમાં સમિટને તત્કાળ અસરથી મુલતવી રાખવી પડી છે.

આ સમિટની નવી તારીખ જલદી જ જાહેરાત કરવામાં આવશે, તેમ વિજયસિંહ જાડેજાએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh