Advertisement
Author: નોબત સમાચાર

મનપા દ્વારા ત્રણ દિવસમાં ર૬પ મિલકત હટાવાયા પછી આજે ચોથા દિવસે ડિમોલીશન યથાવત્

ડી.પી. કપાત અન્વયે ગઈકાલની વધુ ૭પ મિલકતોની પાડતોડ સહિત જામનગર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં મનપા દ્વારા સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલીશનની કાર્યવાહી અવિરત ચાલુ છે. ગઈકાલે ૭પ મિલકતોની પાડતોડ સહિત છેલ્લા ૩ દિવસ દરમિયાન ર૬પ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. આજે ચોથા દિવસે પણ ડિમોલીશન માટે એકીસાથે ૬ ટીમને દોડતી કરાવાઈ છે.

જામનગરમાં ગાંધીનગરથી સ્વામિ નારાયણનગર સુધીની ડી.પી. કપાત અન્વયે આજે સતત ચોથા દિવસે પણ પાડતોડ કામગીરી યથાવત્ રીતે ચાલુ રહેવા પામી છે. ગઈ સાંજ સુધીમાં ર૬પ મિલકતોમાં પાડતોડ કરવામાં આવી છે.

જામનગરના ગાંધીનગરથી સ્વામિ નારાયણનગર સુધી ૧ર મીટરનો પહોળો રોડ કરવા માટે ડી.પી. કપાતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શનિવાર અને રવિવારના કુલ ૧૯૦ મિલકતો પછી ગઈકાલે સોમવારે વધુ ૭પ મિલકતોમાં પાડતોડ કરતા ગઈસાંજ સુધીમાં ર૬પ મિલકતોની કામગીરી પૂર્ણ થવા પામી હતી.

આજે સવારે પણ બાકી અધુરી રહેલી કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. સંભવતઃ આજ સાંજ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થઈ જવા પામશે તેમ જાણવા મળે છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ગત્ શનિવારે સ્વામિ નારાયણનગરથી ગાંધીનગર સુધીના માર્ગે ૧ર મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરી પ્રારંભિક વિરોધ અને ઘર્ષણ પછી મક્કમતાપૂર્વક અવિરત ચાલુ રખાઈ છે, અને સતત ચોથા દિવસે પણ ડિમોલીશન કાર્ય ચાલુ રાખ્યું છે. જેના માટે આજે એકીસાથ છ ટીમોને દોડતી કરાવાઈ છે, અને વિના વિઘ્નએ ડી.પી. કપાતની કામગીરી ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. છેલ્લા ૩ દિવસમાં ૧૮૦ આસામીઓની ર૬પ મિલકતોની પાડતોડની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાયા પછી આજે સતત ચોથા દિવસે પણ બાકી વધેલી મિલકતો પર મનપાનો હથોડો વિંઝવામાં આવ્યો છે, અને ડિમોલીશન કાર્ય વિના વિરોધથી ચાલુ રખાયું છે.

ઉલ્લેખનિય છે કે, જામનગરના સ્વામિ નારાયણનગરથી નવાગામ (ઘેડ) સુધી ૩.પ કિ.મી.નો વિસ્તાર કે જેમાં ૩૩૧ મિલકતધારકોને મહાનગર પાલિકાના તંત્ર દ્વારા આખરી નોટીસ પાઠવવામાં આવી હતી, અને તેના ભાગરૂપે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે ડિમોલીશન કાર્ય પૂર્ણ થયા પછી મનપાની કચેરીમાં અધિકારીઓની ત્વરિત બેઠક મળી હતી, જેમાં બીજા દિવસના સમગ્ર ડિમોલીશનનો એક્શન પ્લાન ઘડી લેવાયો હતો, અને અલગ અલગ ટૂકડીને જવાબદારી સોંપી દેવામાં આવી હતી, જેના અનુસંધાને વહેલી સવારથી સાંજ સુધીમાં મોટાભાગનું સોપાયેલું કાર્ય આટોપી લેવાય તે પ્રકારેની કાર્યવાહી ચાલી રહી છે. સાથે સાથે સિટી 'બી' ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ પ૦ થી વધુ મહિલા સહિતના પોલીસ કર્મચારીઓ ફરજમાં ગોઠવાયેલા છે અને એકંદરે શાંતિપૂર્ણ રીતે ડિમોલીશન કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ પણ હવે સ્વયંભૂ મદદમાં લાગી ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh