Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં બે હજાર વૃક્ષો વાવવાના પ્રોજેક્ટની વર્ષગાંઠની ઉજવણીઃ ૩૦ વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ

શહેરના અગ્રણીઓ દ્વારા દાતાઓના સહયોગથી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩: ખંભાળીયા શહેરના અગ્રણીઓ દ્વારા દાતાઓના સહયોગથી ગત પહેલી જૂન ૨૦૨૪ના ગ્રીન ખંભાળીયા પ્રોજેક્ટ હેઠળ ખંભાળીયા શહેર તથા નજીકના વિસ્તારોમાં ત્રીસ લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચે બેહજાર વૃક્ષો વાવીને માત્ર વૃક્ષારોપણ જ નહીં પણ ત્રણ વર્ષ સુધી આ વૃક્ષોના સંપૂર્ણ ઉછેર તથા જાળવણીનું કાર્ય પણ રાજકોટના સદ્ભાવના ટ્રસ્ટને સોંપીને પર્યાવરણની જાળવણીનું કાર્ય કર્યું હતું. તેને એક વર્ષ પૂરૃં થતાં વૃક્ષોનો જન્મદિન ઉજવાયો હતો.

તાજેતરમાં ખંભાળીયામાં નવા બનેલ તેલી નદી વિજય સિનેમા પાસેથી સુખનાથ મહાદેવ તરફ જતા રસ્તાઓ પર ૩૦ નવા વૃક્ષો વાવીને તથા સ્પેશ્યલ કેક બનાવીને વૃક્ષોનો જન્મદિન ઉજવાયો હતો.

કાર્યક્રમમાં ખંભાળીયા સંસ્થાના ડો. પડીયા તથા પત્રકાર પરબતભાઈ ગઢવીના બે પ્રસંગો મેરેજ એનિવર્સરી તથા જન્મદિન પણ વૃક્ષારોપણથી ઉજવાયા હતા.

કાર્યક્રમમાં ગ્રીન ખંભાળીયાના પરેશભાઈ મહેતા, ડો. પડીયા, પરબતભાઈ ગઢવી, કિરીટભાઈ મજીઠીયા, વીરાભાઈ ભાદરકા, દીપકભાઈ ચોકસી, કિશોરભાઈ ભાયાણી, દિવ્યેશભાઈ મોદી, નિકીતાબેન મજીઠીયા, નિમિષાબેન નકુમ, ચંદાબેન મોદી, ડો. સાગરભાઈ ભૂત, ડો. રિદ્ધિતા પડીયા જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh