Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્વાસ ઈન્ડિયા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા
જામનગર તા. ૩: દેશમાં જ્યારે જરૂર પડે યુદ્ધની સ્થિતિ સર્જાય, ત્યારે બ્લેક આઉટની જાહેરાત કરવામાં આવે છે. આ તબક્કે શહેરના માર્ગો ઉપર વાહનની હેડલાઈટ ચાલુ રાખી નીકળતા લોકોને બ્લેક આઉટનું ચૂસ્ત પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતાં. યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે શ્વાસ ઈન્ડિયા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર હંમેશ તૈયાર છે, તેમજ જનજાગૃતિ અર્થે સતત કાર્યરત છે. આ સંદેશ સાથે બ્લેકઆઉટ દરમિયાન ડી.કે.વી. સર્કલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શ્વાસ ઈન્ડિયા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના કન્વિનર ભાર્ગવ ઠાકર, આઈ.આર.સી.એસ. વાઈસ પ્રેસિડેન્ટ દીપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઈ શાહ, વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર પરાગભાઈ પટેલ, વોર્ડ અધ્યક્ષ નરેનભાઈ ગઢવી, ભૌતિકભાઈ છાપિયા, દર્શાબેન જોષી, નિકુળદાન ગઢવી, હંસાબેન કંજરિયા, વિપુલભાઈ મેહતા, વિશાલ ભાલાલા, પરેશ મેહતા, ઘનશ્યામસિંહ ઝાલા સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. તેમ શ્વાસ ઈન્ડિયા પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠાકરે જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial