Advertisement
Author: નોબત સમાચાર

શનિવારે મુખ્યમંત્રી જામનગરમાં:

સાતમી જૂને સી.એમ. પ્રોગ્રામ હોવાથી તડામાર તૈયારીઓ શરૂ

                                                                                                                                                                                                      

જામનગર તા.૩: રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૭ ના જામનગર આવી રહ્યાં છે. તેઓ રૂ. ૪૩૦ કરોડ પ૦ લાખના ખર્ચે ર૧ કામોનું ખાત મુહૂર્ત અને ૯ કામનું લોકાર્પણ કરનાર છે. આ માટે જુદા-જુદા વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૭-૬-ર૦રપ ના જામનગર આવી રહ્યાં છે. તેમના હસ્તે ૩૦ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

જેમાં જામનગર મહાનગરપાલીકાના ૧૯ કામનું રૂ. રરર.૧૧ કરોડ ના ખાતમુહૂર્ત અને રૂ. ૩ર.૪૪ કરોડના ખર્ચે ૪ કામનું લોકાર્પણ મળી કુલ ર૩ કામનું રૂ. રપ૪.પપ કરોડનું ખર્ચે કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના રૂ. ર.ર૦ કરોડના ખર્ચના ચાર કામનું લોકાર્પણ, જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગના રૂ. ૧૦ લાખના ખર્ચ એક કામનું લોકાર્પણ તથા એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રૂ. ૧૧પ કરોડ ૩૯ લાખના ખર્ચે એક કામનું ખાત મુહૂર્ત અને સરકારી ડેન્ટલ કોલેજમં રૂ. પ૮.ર૩ કરોડના ખર્ચે એક કામનું ખાત મુહૂર્ત કરવામાં આવનાર છે.

આમ કુલ રૂપિયા ૩૯પ.૭૬ કરોડના ખર્ચના ર૧ કામના ખાત મુહૂર્ત અને રૂ. ૩૪.૭૪ કરોડના ખર્ચે ૯ કામના લોકાર્પણ મળી કુલ રૂ. ૪૩૦ કરોડ પ૦ લાખના ખર્ચના ૩૦ કામનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. આ માટે સંબંધિત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવાના છે તેમાં જામનગરના બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ, બે ઓવરબ્રીજ, એસ.ટી. સહિતના કામોનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh