Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મળે છે. પેન્શનનું અવસાન થાય ત્યારે તેમના વારસદારોને સરકારે વર્ષો પહેલા નક્કી કરેલા ધોરણો રાહતરૂપે માત્ર રૂ. પ૦૦ જ ચૂકવવામાં આવે છે. ગુજરાત મુલ્કી સેવા પેન્શનના નિયમો-ર૦૦ર નિયમ ૯પ(૧) તથા ૯પ(૧) નોંધ મુજબ પેન્શનરના અવસાનના કિસ્સામાં રૂ. પ૦૦ ની રાહતના બદલે સુધારો કરી અવસાનની તારીખે જે પેન્શન મળતું હોય તે એક મહિનાનું પેન્શન રાહતરૂપે આપવાનું ઠરાવાયું હતું. આ નિયમની અમલવારી જામનગર મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કરવામાં આવતી નથી. આથી જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળના પ્રમુખ કનુભા ઝાલાએ મ્યુનિ. કમિશનર તથા ઉચ્ચ કક્ષાએ પેન્શનરના અવસાન સમયે રાહત રૂપે એક મહિનાનું પેન્શન ચૂકવવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial