Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ અધિકારના કાયદા હેઠળ
જામનગર તા. ર૮: જામનગર જિલ્લામાં શિક્ષણ અધિકારીના કાયદા અન્વયે આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે કુલ ૧ર૧૧ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે. હજુ પણ બાકી રહેલી બેઠકો માટે એક પ્રવેશ રાઉન્ડ થવાની શક્યતા છે.
નબળા વર્ગના અને ગરીબ પરિવારના બાળકો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે, તે હેતુથી શિક્ષણ અધિકારનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે, જેમાં આવા વિદ્યાર્થીઓ માટે બેઠક અનામત રાખવામાં આવે છે અને આમ ખાનગી સ્કૂલમાં બાળક મફત અભ્યાસ કરે છે અને તેની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
આગામી નવા શૈક્ષણિક વર્ષથી જામનગર જિલ્લાની શાળાઓમાં ધો. ૧ મા શિક્ષણ અધિકારના કાયદા હેઠળ પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ રાઉન્ડમાં ૧૧પ૧ અને બીજા રાઉન્ડમાં ૬૦ મળી કુલ ૧ર૧૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જ્યારે કુલ ૧ર૬૮ બેઠક અનામત રાખવામાં આવી હોય, બાકી રહેલ પ૭ બેઠક માટે આગામી સમયમાં ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial