Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકચાલક સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ર૮: લાલપુર-જામનગર રોડ પર બાયપાસ નજીક હરીપર ગામ પાસે ગઈકાલે બપોરે એક ઈકો મોટરને ટ્રકે ઠોકર મારતા જામનગરના એક મહિલા સહિતના વ્યક્તિ ઘવાયા છે.
લાલપુરથી જામનગર તરફ જતા રોડ પર બાયપાસ નજીક હરીપર પાસે આવેલી ગોળાઈમાંથી ગઈકાલે બપોરે પસાર થતી એક ઈકો મોટરને જીજે-૩૭-ટી ૫૮૭૭ નંબર વાળા મીની ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.
ટ્રકની ઠોકરથી ઈકો મોટર ગોથું ખાઈ ગઈ હતી તેમાં જઈ રહેલા જામનગરની ગોકુલધામ સોસાયટીવાળા ઉષાબા મહેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય વ્યક્તિઓ ઘવાયા હતા. અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે લાલપુર પોલીસ મથકમાં ઉષાબાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial