Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લાના ૩૭ વર્ષીય યુવાન કામસર જવાનું કહી લાપતા બન્યા

                                                                                                                                                                                                      

સો૫ારીના કામના કારણે મેંગ્લોરમાં રહેતા હતાઃ

જામનગર તા. ર૮: જામજોધપુરના એક યુવાન રાજકોટ કામસર જવાનું કહી નીકળ્યા પછી શનિવારથી ગુમ થયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. આ યુવાન હાલમાં મેંગ્લોરમાં વસવાટ કરતા હતા.

જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં અગાઉ રહેતા અને હાલમાં પોતાના સોપારીને લગતા કામના કારણે કર્ણાટક રાજ્યના મેંગ્લોરમાં વસવાટ કરતા અંકિતભાઈ કાંતિલાલ માકડીયા નામના સાડત્રીસ વર્ષના યુવાન પોતાના ગામ સીદસર આવ્યા હતા.

ત્યાંથી ગયા શનિવારે કામસર રાજકોટ જવાનું કહી સાંજે પાંચેક વાગ્યે નીકળ્યા પછી અંકિતભાઈ ગુમ થઈ ગયા છે. તેની જાણ પોલીસને કરવામાં આવી છે. આ યુવાન નો ફોટો તથા વર્ણન મેળવી જામજોધપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh