Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત હાઉસીંગ બોર્ડ અને જામ્યુકોએ ડિમોલીશન કરી દેતા
જામનગર તા. ૨૮: જામનગરની ન્યુ સાધના કોલોની વિસ્તારના ઘર વિહોણા બની ગયેલા ૫૧૦ પરિવારોએ જિલ્લા કલેકટર સમક્ષ ઘરભાડું અપાવવા અથવા તો રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જામનગરમાં ન્યુ સાધના કોલોની આવેલી હતી. જેમાં ૫૧૦ જેટલા પરિવારો છેલ્લા ૨૦ વર્ષથી ત્યાં વસવાટ કરતા હતા. એક વર્ષ અગાઉ ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કોલોનીનું ડિમોલીશન કરાયું હતું, જેમાં ૫૧૦ ગરીબ પરિવારો બે ઘર બની ગયા છે. હાલની પરિસ્થિતિમાં તમામ પરિવારો તદ્દન ખરાબ પરિસ્થિતિમાં છે, અને મકાનના ભાડા ભરી શકતા નથી, રોડ ઉપર રહેવું પડે તેવી તમામ પરિવારોની પરિસ્થિતિ છે.આ બાબતની રજૂઆત અગાઉ સ્થાનિક કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હતી. જેને દોઢ વર્ષ થયા છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રતિસાદ મળેલો નથી.
હવે આત્મહત્યા કરવી પડે તે સિવાય અમારી પાસે કોઈ જ રસ્તો રહૃાો નથી, ત્યારે કલેક્ટરની કચેરી દ્વારા આ બાબત ધ્યાનમાં લઇ અમોને ઘર ભાડું અપાવવા અથવા વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી અપાવવા માંગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial