Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા/માર્ગ કરવા માંગણીઃ
ખંભાળિયા તા. ર૮: ખંભાળિયામાં મીલન ચાર રસ્તાથી સલાયા-દ્વારકા રોડ પર જતું રેલવે ફાટક ગઈકાલથી અંડર બ્રીજના કામે અચોક્કસ મુદ્ત મહિનાઓ સુધી બંધ કરી દેવાતા લોકો માટે રસ્તાના વિકલ્પ માટે જામનગર હાઈ-વે, જડેશ્વર અંડરબ્રીજ, ખામનાથ થઈ કણઝાર પાસેથી દ્વારકા હાઈ-વે જવાના વિકલ્પોમાં અઢી-ત્રણ કિ.મી.નું અંતર વધી જતા લોકો પરેશાન થઈ ગયા છે.
રેલવે ફાટકથી પ૦૦ મીટરની અંદરમાં જ દ્વારકા જિલ્લા કોર્ટ આવેલી છે. જેમાં વિવિધ કોર્ટો આવેલી છે, તો નજીકમાં જ દ્વારકા જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવેલી છે. આ ફાટકનો રસ્તો બંધ થતા દર્દીઓ હોસ્પિટલે જવા-આવનારા, વકીલો તથા પત્રકારો મુશ્કેલીમાં મૂકાયા છે, તો ઈમરજન્સીમાં હોસ્પિટલે જનારા પણ ત્રણ કિ.મી. ફરીને જવું પડે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટાઉનહોલ પાસેથી રંગીલા હનુમાન પાસે રેલવે પુલની નીચેથી નીકળતો જુનો રસ્તો અથવા નજીકમાં વૈકલ્પિક રસ્તો થાય તેવી લોકોમાં ઉગ્ર માંગ છે, જેથી ઈમરજન્સીમાં હોસ્પિટલે જઈ શકાય કેમ કે આ અન્ડરબ્રીજની કામગીરી માટે અચોક્કસ મુદ્ત સુધી રસ્તો બંધ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial