Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા પંથકની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આજીવન કેદ

રૂ.૪ લાખ વળતર પેટે ચૂકવવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જોડિયા પંથકની એક બાળકી પર દોઢેક વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઢગાને અદાલતે આજીવન સખત કેદની સજા ફટકારી છે.

જોડિયા પંથકમાં વસવાટ કરતા એક  પરિવારની સાત વર્ષની પુત્રી ગઈ તા.૨૦-૮-ર૩ના દિને એક ખેતરમાં મોબાઈલ વડે રમતી હતી ત્યારે અશ્વિન જયંતીલાલ ગોહેલ નામનો નરાધમ ધસી આવ્યો હતો. આ શખ્સે તે બાળકીને પકડી લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બાબતની બાળકીના પરિવારજને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકાર પક્ષ તરફથી રજૂ થયેલા ૩૭ દસ્તાવેજી પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અશ્વિન જયંતીલાલ ગોહેલને ભારતીય દંડ સંહિતા તથા પોક્સો એક્ટની કલમ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા તથા રૂ.રપ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર બાળકીને રૂ.૪ લાખ કમ્પેઈન્સેશનમાંથી ચૂકવી આપવામાં આવશે. સરકાર તરફથી ડીજીપી જમનભાઈ ભંડેરી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh