Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમૃત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પિત ૧૦૩ પુનઃવિકસિત રેલવે સ્ટેશનોમાં જામનગર જિલ્લાના ૪ સ્ટેશનોનો સમાવેશ
જામનગર તા. ૨૮: અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા જામનગરના ૪ રેલવે સ્ટેશનોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું, ત્યારે ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ રૂ. ૩ કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા જામવંથલી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી થયા હતા, અને તેમણે ઉપલબ્ધ થનારી સુવિધાઓની વિગતો આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના બિકાનેરથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત ૧૦૩ રેલવે સ્ટેશનના ઈ-લોકાર્પણ કર્યા હતા. જેમાંથી રૂ.૧૬૪ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાના ૪ સ્ટેશનો પૈકી જામવંથલી રેલ્વે સ્ટેશનના લોકાર્પણમાં રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહૃાા હતા.
મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવે વિભાગ માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવે સ્ટેશનોના આધુનીકરણ થવાથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થયો છે. જામનગર વાસીઓને રેલવેની સારી સુવિધા સાથે વંદે ભારત ટ્રેનની અત્યંત આધુનિક ટ્રેનની સુવિધા પણ મળી છે. હવે સ્ટેશનો માત્ર ટ્રેનના સ્ટોપેજ પૂરતા જ સીમિત નહી પરંતુ શહેરોની ઓળખ બની રહૃાા છે. અમૃત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનો પુનર્વિકસિત થઈ રહૃાા છે. જામનગર જીલ્લાના ૪ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યાં પાર્કિંગ, રુફટોપ, શૌચાલયો, પ્રતીક્ષાખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલા જામનગર જિલ્લાના ૪ રેલવે સ્ટેશનો પૈકીનું જામવંથલી સ્ટેશન આ ક્ષેત્રના સમૃદ્ધ ઈતિહાસનું મહત્ત્વનું પ્રતીક છે. રૂ.૩ કરોડથી વધુના ખર્ચે જામવંથલી સ્ટેશનનો પુનર્વિકાસ થયો છે તેમાં મુસાફરો માટે પ્રતીક્ષાખંડ, શૌચાલય, પાર્કિંગ, રુફટોપ, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ અને મોર્ડન સાઈનેજીસનો સમાવેશ થાય છે. આ સિવાય હાપા રેલવે સ્ટેશનનો રૂ.૧૨.૭૯ કરોડના ખર્ચે, જામજોધપુર રેલવે સ્ટેશનનો રૂ.૧૦.૪૩ કરોડના ખર્ચે, કાનાલુસ જંકશન રેલવે સ્ટેશનનો રૂ.૭.૫૬ કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાજસ્થાનના બિકાનેરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત ૧૦૩ રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ રેલવે ડિવિઝનના ચીફ પ્રોજેક્ટ મેનેજર સુધીર દુબે, જીલ્લા પંચાયતના સદસ્ય કમલેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય ભરતસિંહ જાડેજા,એપીએમસી હાપાના પ્રદ્યુમનસિંહ જાડેજા, વિવિધ ગામોના સરપંચો, અગ્રણીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial