Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા પંચાયતની કચેરી-ખંભાળિયામાં
ખંભાળિયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરીમાં દર શુક્રવારે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર કાર્યરત રહેશે. જિલ્લાવાસીઓને પ્રાકૃતિક કૃષિ થકી ઉત્પાદિત વસ્તુઓ લેવા વહીવટી તંત્રનો અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે નાગરિકો આરોગ્યપ્રદ આહાર મેળવે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર મિશન મોડમાં કામગીરી કરી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધી રહૃાો છે.
પ્રાકૃતિક કૃષિ થકી ઉત્પાદિત આરોગ્યપ્રદ ધાન્ય અનાજ, કઠોળ ફળ તેમજ શાકભાજી જાહેર જનતા તથા અધિકારીઓ તથા કર્મચારીઓને મળી શકે તે માટે જિલ્લા કલેકટર રાજેશ તન્ના અને જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરના પ્રયત્નોથી તા. ૨૩/૦૫/૨૦૨૫થી નિયમિત દર શુક્રવારે સાંજે ૪.૩૦ કલાકથી સૂર્યાસ્તના સમય સુધી જિલ્લા પંચાયત કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર કાર્યરત રહેશે. પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો લાભ લેવા તેમજ સ્વસ્થ ભારત અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહિત કરવા સર્વે અધિકારીઓ, કર્મચારીઓ તથા જાહેર જનતા કાપડની થેલી ઉપયોગ કરવા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial